જરૂરતમંદ પરિવાર સુધી પહોંચાડવા વિનંતી
મોરબી ખાતે સર્વ જ્ઞાતિ નવમાં સમુહલગ્નોત્સવનું આયોજન, ગરીબ પરિવારને જોડાવવા અપીલ.
મોરબી ખાતે વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી અને હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વાર નવમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરેલ છે આ આયોજનમાં ઘણા સમયથી મોરબીમાં શિક્ષિત મહિલાઓના સમૂહ મુસ્કાન વેલ્ફર સોસાયટીના સહયોગથી સંસ્થા તરીકે જોડાયેલ છે. વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા આ પૂર્વે આઠ સમૂહ લગ્નો થકી ૨૫૧ દીકરીઓના લગ્નો સફળતાપૂર્વક સંપન્ન કરેલ છે.
આ સમુહ સમૂહ લગ્ન ઉત્સવ માં ગંગા સ્વરૂપ બહેનોના સંતાનો, વંચિત સમાજની સંતાનો તેમજ ગરીબ પરિવારના સંતાનો માટેનું આયોજન છે નવમાંમાં સમૂહ લગ્નોસ્તવનું આયોજન આગામી 23 ફેબ્રુઆરી 2025 ના રોજ યોજાનાર છે. જેમાં તમામ દીકરીઓને કરિયાવર માં સોના-ચાંદીના દાગીના સાથે ૭૦થી વધુ ઘરવખરીની વસ્તુઓ ભેટ રૂપે આપવામાં આવશે, જેના માટે યુગલ ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયા છે યુગલે પોતાના આધાર કાર્ડ અને જન્મ પ્રમાણ પત્ર સાથે માતા-પિતાના આધાર કાર્ડ લાવવાના રહશે. યુગલ માં યુવકની ઉંમર ૨૧ પૂર્ણ અને યુવતીની ઉંમર ૧૮ પૂર્ણ થયેલ હશે તેજ ફોર્મ ભરી શકશે.
ફોર્મ ભરવા માટેનું સ્થળ : વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી સંચાલિત ગોકુલ વિઝીટીંગ સેન્ટર, ડૉ.પટેલ લેબોરેટરી, સરદાર બાગ સામે, શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ પાસે, સુભાષચંદ્ર પ્રતિમા ની બાજુમાં, મોરબી ખાતે સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ સુધી મળશે ફોર્મ મેળવવાની છેલ્લી તારીખ ૩૧/૧૨/૨૦૨૫ સુધી રહશે ફોર્મ વહેલા તે પહેલાના ધોરણે સર્વ સમાજના યુગલોને આપવામાં આવશે.
વધુ માહિતી માટે સંપર્ક કરો...8732918183
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box.