Breaking

अपनी भाषा चुने

POPUP ADD

सी एन आई न्यूज़

सी एन आई न्यूज़ रिपोर्टर/ जिला ब्यूरो/ संवाददाता नियुक्ति कर रहा है - छत्तीसगढ़, मध्यप्रदेश, उत्तर प्रदेशओडिशा, झारखण्ड, बिहार, महाराष्ट्राबंगाल, पंजाब, गुजरात, आंध्रप्रदेश, तेलंगाना, कर्नाटका, हिमाचल प्रदेश, वेस्ट बंगाल, एन सी आर दिल्ली, कोलकत्ता, राजस्थान, केरला, तमिलनाडु - इन राज्यों में - क्या आप सी एन आई न्यूज़ के साथ जुड़के कार्य करना चाहते होसी एन आई न्यूज़ (सेंट्रल न्यूज़ इंडिया) से जुड़ने के लिए हमसे संपर्क करे : हितेश मानिकपुरी - मो. नं. : 9516754504 ◘ मोहम्मद अज़हर हनफ़ी - मो. नं. : 7869203309 ◘ सोना दीवान - मो. नं. : 9827138395 ◘ आशुतोष विश्वकर्मा - मो. नं. : 8839215630 ◘ सोना दीवान - मो. नं. : 9827138395 ◘ शिकायत के लिए क्लिक करें - Click here ◘ फेसबुक  : cninews ◘ रजिस्ट्रेशन नं. : • Reg. No.: EN-ANMA/CG391732EC • Reg. No.: CG14D0018162 

Monday, March 6, 2023

આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ ગીર સોમનાથ જિલ્લા/તાલુકાની બેઠક તાલાળા ગીર ખાતે મળી


 આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ ગીર સોમનાથ જિલ્લા/તાલુકાની બેઠક તાલાળા ગીર ખાતે મળી

     આજ રોજ શ્રી જશુભાઈ બારડ આહીર સમાજની વાડી તાલાળા ગીર ખાતે આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ ની પરિચય બેઠક તેમજ આગામી સમય માં ગ્રુપ ની કરવાની થતી કાર્યપ્રણાલી વિષય પર આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ ના પ્રણેતા અને રાજ્ય ગ્રુપ  ના એડમિન પીઆઇ રામ સાહેબની અધ્યક્ષતા માં યોજાઈ હતી, જેમા તાલાળા તાલુકા કન્વિનર વરજાંગ ભાઈ નંદાણીયાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને તાલાળા આહીર સમાજ ઉપપ્રમુખ પરબતભાઇ ચાંડેરા દ્વારા પી.આઈ. રામ સાહેબ ને  આહીર સમાજ વતી  દેવાયતબાપા બોદરની છબી અને પુષ્પ ગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું તેમજ  આવેલ તમામ મહેમાનો પણ પુષ્પગુચ્છ થી સન્માનવામાં આવ્યા હતા.ત્યાર બાદ બેઠકમાં હાજર તમામ લોકો એ સ્વ પરિચય આપ્યો હતો.પરિચય બાદ જિલ્લા કન્વિનર દેવાયત ભાઈ ભોળા દ્વારા આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ નો પરિચય અને જિલ્લા ની કામગીરી નો ચિતાર સૌને આપ્યો હતો.પરબતભાઇ ચાંડેરા તથા પ્રો જે.એસ.વાળા સાહેબ પણ પ્રસંગોચિત પોતાની વાત મૂકી હતી.અને છેલ્લે કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાનેથી ગ્રુપ એડમિન શ્રી રામ સાહેબ એ ASVK ગ્રુપ વિશે ઊંડાણ પૂર્વક સમજ અને કાર્યો તેમજ અનુભવો ફાયદાઓ અને આગામી સમય માં ગ્રુપ થકી સમાજને થનારા ફાયદાઓ વિશે માર્ગદર્શન કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા કાર્યક્રમ નાં સમાપન તરફ આગળ વધતા ગ્રુપ ડીસ્કશન અને પ્રશ્નોતરી કરી હતી અને અલ્પાહાર અને ચા પાણી  કરી સૌ છુટા પડ્યા હતા આ કાર્યક્રમ ને સફળ બનાવવા આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ તાલાળા કન્વિનર વરજાંગ ભાઈ સહ કન્વિનર રાજેશભાઈ રામ ,અશોકભાઈ સોલંકી સહિતે ખૂબ જહેમત ઉઠાવી હતી.એકંદરે કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box.

Hz Add

Post Top Ad